Posts

Showing posts from 2019

ઉદયપુર, રાજસ્થાન

Image
ભારતના મોટામાં મોટા રાજ્ય રાજસ્થાન એટલે કે રાજા રજવાડાઓના સ્થાનમાં તેના નામ પ્રમાણે  રજવાડી સ્થાપત્ય, કળા અને સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. મૂળ રણવિસ્તાર હોવા છતાં યોગ્ય મોસમ લઈએ તો તેની ભૂગોળનું વૈવિધ્ય પણ માણવાલાયક છે. રજવાડાઓના વિલીનીકરણ પછી મોટાભાગની મહેલાતો પ્રવાસીઓ માટે ખુલ્લી મુકીને પર્યટનના વિકાસ દ્વારા હુંડીયામણ  રળવાનો  ઉપાય આબાદ કામ કરે છે. પાછું, રજવાડી લોહીના આધિપત્યવાળું હોવાના કારણે તેનો ઈતિહાસ પણ પરાક્રમોના પાનાથી ભરેલો છે. રાજસ્થાન વિશાળ અને સૂક્ષ્મથી વિરાટ વિવિધતા ધરાવતું હોવાને કારણે એકસાથે તેને નિહાળી લેવું તેમજ એક જ બ્લોગમાં તેના વિષે સમાવી લેવું ન્યાયી બનશે નહી. તેથી, રાજસ્થાનની દક્ષીણે આવેલ રૂપકડા ઉદયપુર અને તેની આસપાસના સ્થળો વિષે આજે જાણીશું. રાજા ઉદયસિંહે વસાવેલ શહેર એટલે કે ઉદયપુર ઐતિહાસિક એવા મેવાડ રજવાડાની રાજધાની રહી ચૂકી છે. સિસોદિયા વંશના રાજા ઉદયસિંહ બીજાએ સને ૧૫૫૮માં આ શહેર વસાવ્યું, કારણકે ચિતોડગઢ તત્કાલીન મુગલ સમ્રાટ અકબરના કબજામાં આવ્યું હતું. રાજસ્થાનના પ્રમુખ શહેરોને રંગોના નામ સાથે પણ જોડવામાં આવે છે જે પૈકી ઉદયપુર સફે

માંડવી - કચ્છ.

Image
અમુક ગામ કે શહેર સાથે જાણે આપણો એક અનોખો સંબંધ હોય છે, જાણે કંઇક અજીબ લેણાદેણી. આપણી સ્મૃતિઓ સંકળાયલી હોય તેવા શહેરનો વિચાર પણ મગજમાં ઝબકી જાય તો હોંઠ પર એક સ્મિત અને મગજ પર યાદોની પરત ચડતી જાય. આવું એક શહેર એટલે અમારું મોસાળનું અને દરેક કચ્છીઓને વ્હાલા એવા દરિયાઈ શહેર માંડવીની... પર્યટન ક્ષેત્રે કચ્છને અગ્રેસર રાખવામાં સફેદ રણ પછીનો જો કોઈનો નંબર હોય તો તે છે માંડવી. કચ્છ ભૌગોલિક રીતે વિશિષ્ટ પ્રદેશ છે, તેની એક તરફ રણ, બે તરફ સમુદ્ર અને અને એક તરફ કચ્છનો અખાત આવેલો છે. ભૂવિસ્તાર ડુંગરાળ પણ ખરો. સમુદ્રના તમામ કિનારાઓમાં પણ પાછું વૈવીધ્ય જોવા મળે... જેમાં સહેલાણીઓને માફક આવે તેવા રેતાળ, છીછરા અને શાંત કિનારાઓ ઉપરાંત શોખીનો માટે સવારીઓ, ખાણીપીણી વિગેરે દ્રષ્ટીએ નિહાળીએ તો માંડવીનો નંબર અવ્વલ આવે.   મહાભારતમાં ઋષિ માંડવ્યની એક વાર્તા આવે છે જેના શ્રાપને કારણે ખુદ યક્ષને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો હતો, આ જ ઋષિ માંડવ્ય પરથી માંડવીનું  પડ્યું હોવાનું કહેવાય છે. ફક્ત ૪૦૦ વર્ષ પાછળ નજર કરીએ તો અહીના ખારવાઓએ એ સમયે અહીં શીપ બિલ્ડીંગ નાના પાયે ચાલુ કર્યું, પછી તો અહીં વહાણો બનાવવાની

દીવ, કેન્દ્રશાસિત પ્રદેશ

Image
વેકેશન પૂર્ણ થઇ ચુક્યું છે, આ વેકેશનમાં ગરમીએ તમામ રેકર્ડ તોડ્યા છતાં વેકેશન તો ગરમીઓમાં જ મળે છે, જો કે તેનું પણ કારણ છે કે ગુજરાત જેવા ગરમ પ્રદેશમાં જ્યાં ઘણીખરી જગ્યાઓએ મે મહિનાનું તાપમાન ચાલીસી વટાવી ગયું હોય તેમાં બાળકો પાસે પચાસ અન્ય વિદ્યાર્થીઓ સાથે વર્ગમાં બેસાડીને છ સાત કલાક લેશન કરાવવું જરાય માનવીય નથી. બહારનું તાપમાન ૪૫ ડીગ્રી કે તેથી વિશેષ આંબે એટલે શરીરમાં રહેલા પ્રોટીનમાં વિકૃતિ જન્મ લેવા માંડે છે, પાચન નબળું પડે છે, પાણીની સતત તાણ વર્તાય છે અને લૂ તો વળી અલગ જ બલા છે ત્યારે બાળકો તો ઠીક પુખ્તોની હાલત પણ બગડવા માંડે. જો કે હવે મોટાભાગની કોર્પોરેટ ઓફિસો અને ધંધાદારીઓની ઓફિસો એ.સી બની ચુકી છે, પરંતુ ૨૪ કલાક તો તેમાં પણ વિતાવી શકાય નહીં. પાછુ દિવાળીથી ઉનાળા સુધી એટલે કે લગભગ પાંચ થી છ માસ સતત કામ કર્યા પછી કંટાળો પણ આવે જ ને? બ્રેક તો બનતા હૈ. બાળકો ઘરમાં હોય, બહાર તડકો ભડાકા દેતો હોય એટલે વધારે રમવા પણ ન દેવાય, ઘરમાં માતા પિતા વ્યસ્ત હોય, રમવાવાળા હમ ઉમ્ર ભાઈ કે બહેન હોય એ લોકો સાથે પણ પંદર દિવસમાં સારાસારી પૂરી થઇ હોય અને મારામારી શરુ થઇ ગઈ હોય, ટીવી સતત જુએ કે મ

સીટી ટોક - ૨ (મૈસોર ૨.૦- કર્ણાટક)

Image
ગયા બ્લોગમાં શરુ કરેલી મૈસોરની સફર આગળ વધારીએ. આખા કર્ણાટક રાજ્યમાં સહુથી પહેલી યુનીવર્સીટી મૈસોરમાં શરુ કરવામાં આવેલી. આગલા બ્લોગમાં વાત કરી તેમ મૈસોર એક ઐતિહાસિક શહેર છે છતાં જયારે તેની મુલાકાત લઈએ ત્યારે તેના પહોળા રસ્તા, મોટા મકાનો, આધુનિક ઈમારતો વિગેરે આપણું ધ્યાન અવશ્ય આકર્ષિત કરે છે. તેનું કારણ એ છે કે ભારતમાં ખુબ ઓછા   શહેરો ટાઉન પ્લાનિંગ દ્વારા બનાવવામાં આવેલા છે, મૈસોર એવા જૂજ શહેરોમાંથી એક છે જેનું વર્ષો પહેલા ટાઉન પ્લાનિંગ કરીને શહેર વસાવવામાં આવેલું. મહેલ,મંદિર અને મ્યુઝીયમ (સેન્ડ)ની મુલાકાત બાદ ચાલો મૈસોરની બીજી  બાજુ નિહાળવા. * મૈસોર ઝૂ :- આ ઝૂ ભારતનું ત્રીજા નંબરનું જૂનામાં જુનું ઝૂ કહેવાય   છે. ઝૂ ખરેખર વિશાળ છે, જેમાં   પ્રાણીઓના   કુદરતી આવાસ જેવા જ મોટા  મેદાનો બનાવવામાં આવ્યા છે. ઝૂમાં લગભગ ચાર કિલોમીટર જેટલું ચાલવાનું છે જેમાં લગભગ ભારતમાં જોવા મળતાં બધા પક્ષી પ્રાણીઓ જોવા મળે છે. જનરલી ઝૂમાં જઈએ તો અજીબ પ્રકારની દુર્ગંધ અને સાથે ગંદગી પણ જોવા મળે પરંતુ અહીં મૈસોર શહેર જેવી જ ચોખ્ખાઈ જોવા મળે. મતલબ, પ્રવાસી  દીઠ લેવાતા ૫૦ રૂપિયા ખરેખર ઝૂન

સીટી ટોક - ૨ (મૈસોર, કર્ણાટક)

Image
દેવી દેવતાઓના નામ પરથી ઘણાં શહેરોનાં નામ આપણે સાંભળ્યા છે, પણ આજે જે શહેરનું નામ દાનવ માહિસાસુર પરથી પડ્યું છે તેવા શહેરની વાત લઈને અમે આવ્યા છીએ. મૈસોર, મૈસુરુ કે મૈસુર એ મહિસુરુમાંથી અપભ્રંશ થયેલું કહેવાય છે. આ વિસ્તારમાં માહિસાસુરનું રાજ હતું અને ત્યાંના લોકોને આ દાનવના ત્રાસમાંથી ચામુંડી દેવીએ છુટકારો અપાવ્યો તેવી કથા છે. ચામુંડી દેવીને યાદ રાખજો તેમનું સ્મરણ ફરી કરીશું બ્લોગમાં.. આ સમયે કે જ્યારે આપણા ભારતનું રાજકારણ ગરમાયું છે, ૨૦૧૯ની ચૂંટણીનો સમય નજીક આવે છે એ પણ એક કારણ છે મૈસોરને યાદ કરવાનું. શા માટે? ચૂંટણીમાં આંગળી પર કરવામાં આવતી શાહીનું નિશાન જેના પર જોક  છે કે 'આ કલર વાળ પર લગાડી આપો, ડાઈ દર પંદર દિવસે નીકળે છે અને તમારી આ શાહી ત્રણ મહિને પણ માંડ નીકળે છે' તે ચોટકણી શાહી આખા ભારતમાં માત્ર મૈસોરમાં બને છે.. વિચારો, લોકસભા ચૂંટણીમાં વપરાતી આખા ભારતની શાહી માત્ર મૈસોરમાં બને છે. તો, આ વખતે વોટ આપીને બહાર નીકળો ત્યારે મૈસોરને યાદ કરી લેજો :) ચાલો કર્ણાટકના બેંગ્લોર પછીના બીજા મોટા શહેર મૈસોરની મુલાકાતે.. મૈસોર ભારતના એવા જૂજ રજવાડાં પૈકીનું એક છે જેમાં ખૂબ લ

હેરીટેજ વોક - અમદાવાદ.

Image
આ બ્લોગની શરૂઆત કિશોર કુમારને યાદ કરીને કરીએ. તેમના વાયા યાદ તો આપણે અમદાવાદને જ કરવાના છીએ. છેક ૧૯૭૭માં ફિલ્મ મા-બાપ માટે કિશોર કુમારે ગીત ગાયેલું.  હું અમદાવાદનો રીક્ષા વાળો. નવસો નવ્વાણું નમ્બર વાળો, અમદાવાદ બતાવું ચાલો.. આજે અમે એ રિક્ષાવાળા બનીએ અને તમે બનો પેસેન્જર. આ બ્લોગ વાંચવાની પાંચ દસ મીનીટની ફાળવણી એ તમારે ચુકવવા થતું ભાડું. સંસ્કૃતિના વિકાસ સાથે ગામડામાંથી શહેરો અને શહેરોમાંથી મેટ્રોઝનું નિર્માણ થતું રહ્યું. જેમ શહેરનો વિસ્તાર મોટો થયો તેમ પરંપરા અને રૂઢીઓની પકડ ઢીલી થતી ગઈ અને મુક્તિનો અનુભવ સરળ થતો રહ્યો. કોઈએ કહ્યું છે તેમ "જે એક વખત મુક્તિનો સ્વાદ ચાખી લે છે તેના દિમાગમાંથી ક્યારેય પણ મુક્તિ ખસતી નથી." એટલા માટે શહેરો તરફનું આકર્ષણ હરહંમેશ રહ્યું છે અને રહેવાનું છે. આવું આપણું પોતીકું મેટ્રો એટલે અમદાવાદ. અહેમદાબાદમાંથી અપભ્રંશ થયેલું આ શહેર મનોરંજન, શિક્ષણ, મેડીકલ જેવા ક્ષેત્રોમાં અદ્ભુત પ્રગતિને કારણે લગભગ દરેક ગુજરાતી માટે "મસ્ટ વિઝીટ" બની ગયું છે. જો કે, આ બ્લોગમાં આપણે ફક્ત પ્રવાસીઓને અનુરૂપ શહેરની વાત કરીશું. કોઇપણ મેટ્રોની ઓળ