Posts

Showing posts from February, 2024

શ્રદ્ધાના રસ્તે (way to faith)

Image
  શ્રદ્ધાના રસ્તે         જે રસ્તે આ બ્લોગ આદર્યો છે, એ શ્રદ્ધા ન દેખાય કે ન સંભળાય, ન તો એની કોઈ ખુશ્બૂ છે કે ન કોઈ સ્પર્શ. એ કોઈ વાયરસ નથી કે શક્તિશાળી માઈક્રોસ્કોપમાં દેખાઈ જાય અને નથી એ કોઈ સુદૂરનો જાયન્ટ સ્ટાર કે જે ટેલિસ્કોપમાં ભળાય, કોઈ તર્ક એને બાંધી નથી શકતો કે કોઈ સમીકરણો એને ઉકેલી નથી શકતા. તો પછી એવું કહી શકાય કે એ કુદરતના નિયમોથી વિપરીત ચાલે છે? ના! વિપરીત ચાલે એ તો વિકૃતિ હોય. વિકૃતિ તો કળે, દુખે, પજવે અને પીડે! જયારે શ્રદ્ધા તો લગીરે પરેશાન નથી કરતી, માટે તે વિકૃતિ તો નથી.        ધારોકે એ પ્રકૃતિ હોય તો એ પ્રકૃતિના નિયમોથી ચાલવી જોઈએ ને? એક વાત કહો. માણસનું મન ગુરુત્વાકર્ષણને અનુસરીને જમીન પર રહે છે? તેનામાં માર્કેટ પ્રમાણે તેજી/મંદી આવે છે? નહીં ને? તેની તો પોતાની અલગ જ ચાલ છે. એ ચાલને આપણે સમીકરણમાં બાંધી નથી શક્યા તેનો અર્થ એવો ન કાઢી શકાય કે શ્રદ્ધા એ પ્રકૃતિથી વિમુખ કે વિપરીત છે. ન્યુટન નહોતા અવતર્યા ત્યાં સુધી ગુરુત્વાકર્ષણ જ નહોતું? હતું જ વળી, બસ એને સમજી નહોતું શકાયું. એ જ રીતે શ્રદ્ધાનું અસ્તિત્વ પડકારી શકાય તેમ નથી, એ તો રોજ બરોજમાં વણાયેલી છે, આપણે એનો ફર